કૃષિમંત્રીએ ખેડૂતોને MSP પ્રણાલી ચાલુ રહેશે તેવું આશ્વાસન આપ્યું
Live TV
-
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એમએસપી પ્રણાલી ચાલુ રાખવા અંગે આપ્યું આશ્વાસન. કહ્યુ, કૃષિ સમિતિમાં કોઈ બદલાવ નહીં.
છેલ્લા 10 દિવસથી દિલ્હીમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે પાંચમી બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રિય કૃષિ મંત્રી અને કિસાન સંગઠનના 40 પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
બંને પક્ષે પોતાની વાત રજૂ કરી હતી. અને હવે સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી 9 ડિસેમ્બરે ફરી એક વાર બેઠક યોજાશે. કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, અમે ખેડૂતોને એમએસપી પ્રણાલી ચાલુ રાખવાનું આશ્વાસન આપ્યું છે. એમએસપી પર કોઈ પણ પ્રકારનું સંકટ નથી.
ઉપરાંત કૃષિમંત્રીએ આંદોલન કરી રહેલા વૃદ્ધ, ખેડૂતો અને બાળકોને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઘરે જવા માટે અપીલ પણ કરી છે.
