કેદારનાથ મહાદેવ ધામના કપાટ 29 એપ્રિલે ખુલશે
Live TV
-
આજે મહાશિવરાત્રિના દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી રહ્યા છે, ત્યારે ભગવાન કેદારનાથ ધામના કપાટ ખૂલવાની તારીખની પણ આજે જાહેરાત કરવામાં આવી છે.
કેદારનાથ મંદિર સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે, કેદારનાથના કપાટ 29 એપ્રિલ 2020ના રોજ સવારે 6.00 વાગ્યે ખોલવામાં આવશે.
તો 30 એપ્રિલ 2020ના રોજ બદરીનાથ ધામના કપાટ પણ ખોલવામાં આવશે. સવારે વહેલા બ્રહ્મૂર્હુતમાં 4.00 વાગ્યે બદરીનાથના કપાટ ખોલવામાં આવશે. તેની સાથે જ ચાર ધામની યાત્રા દેશમાં શરૂ થઈ જશે.
