રક્ષામંત્રી રાજનાથસિંહે દિલ્લી કેંટમાં કર્યો નવા આર્મી ભવનનો શિલાન્યાસ
Live TV
-
સંરક્ષણ મંત્રીએ કહ્યું, બહાદુર જવાનોએ ભારતને સશક્ત બનાવવા માટે જ બલિદાન આપ્યા છે - નવા સેના ભવનથી સરકારી કામકાજમાં મળશે રાહત.
આર્મીના નવા હેડક્વાર્ટરનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. દિલ્લી કેંટમાં બનેલા આ ભવનનું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે આર્મી chief એમ.એમ.નરવાણે પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બોલતા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે બહાદુર જવાનોએ ભારતને સશક્ત બનાવવા માટે બલિદાન આપ્યા છે.
નવું સેના ભવન બન્યા બાદ અનેક સરકારી કામોમાં રાહત મળશે. મોટા ભાગના સૈન્ય અધિકારીઓ નવા બની રહેલા ભવનની આસપાસ રહે છે. તેના કારણે તેમને આવન જાવનમાં સરળતા રહેશે. અને તેઓ મોર્નિગ વોકિંગ કરતા કરતા ઓફિસ પહોંચી જશે.
