કેન્દ્રિય માનવ સંસાધન મંત્રીની JNU ના વિદ્યાર્થીઓને શાંતી જાળવવા અપીલ
Live TV
-
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી , રમેશચંદ્ર પોખરિયાલ નિશંકે , જેએનયુના વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલયની ગરિમાને જાળવી રાખવાની , અને પરિસરમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. આ મામલે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રમોદ કુમાર પાસેથી , રિપોર્ટ માગ્યો છે. મંત્રાલયે જેએનયુમાં હિંસા મામલે ટ્વિટ કરીને , ખેદ વ્યક્ત કર્યો છે , અને આ ઘટનાને ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને , નિંદા કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ટ્વિટ કરીને , આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે પોતાના ટ્વિટ સંદેશમાં કહ્યું છે , કે આ હિંસા , વિશ્વવિદ્યાલયની પરંપરા અને સંસ્કૃતિની વિરૂદ્ધ છે
