કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે આકાશવાણીના નવા રંગભવનનું કર્યુ ઉદઘાટન
Live TV
-
કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં આકાશવાણીના નવા રંગભવનનું ઉદઘાટન કર્યું હતું. આ રંગભવન આકાશવાણીનું ડિજીટલ મલ્ટી મીડિયા સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર , હરસિમરત કૌર બાદલ અને બાબુલ સુપ્રિયોએ ગુરબાની અને શપત કિર્તનના ડિજીટલ સંસ્કરણને લોન્ચ કર્યું હતું. કાર્યક્રમને સંબોધન કરતાં માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે, આ રંગભવનમાં કલાકારો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
