કેન્દ્રીય આરોગ્યમંત્રી એનસેફેલિટિસ તાવથી થતા બાળકોના મૃત્યુ અંગે બિહારની મુલાકાતે
Live TV
-
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને બિહારમાં એનસેફેલિટિસ તાવથી બાળકોના થઈ રહેલા મૃત્યુને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા મુઝફ્ફરપુરની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય આરોગ્યમંત્રીએ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લઈને, અધિકારીઓ સાથે મગજના તાવને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.
બિહારના મુઝફ્ફરપુરમાં કેટલાંક દિવસથી મગજના તાવના પ્રકોપે , 100 બાળકોનો ભોગ લીધો છે. ડો.હર્ષવર્ધને આ બીમારીનો સામનો કરવા , હરસંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
