કેન્દ્રીય કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદે આપ્યો કેન્દ્ર સરકારે પૂર્ણ કરેલા ચાર વર્ષનો રિપોર્ટ
Live TV
-
કેન્દ્રીય મંત્રીએ મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે 7 કરોડ 25 લાખ શૌચાલય નિર્માણ પામ્યા અને 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચી
કેન્દ્રીય કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદે આજે વારાણસીમાં કેન્દ્ર સરકારે પૂર્ણ કરેલા ચાર વર્ષનો રિપોર્ટ આપ્યો. કેન્દ્રીય મંત્રીએ મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે આઝાદીથી માંડીને 2014 સુધીમાં 6 કરોડ 25 લાખ જેટલા શૌચાલય બનાવ્યા હતા. પરંતુ મોદી સરકારના ચાર વર્ષમાં 7 કરોડ 25 લાખ શૌચાલય નિર્માણ પામ્યા છે. સાથો સાથ 18 હજાર ગામડાઓમાં વીજળી પણ પહોંચી જ્યાં વીજળી નહોતી. કેન્દ્ર સરકારે ગરીબોની ચિંતા સાથે સમાન વિકાસની દિશામાં કામ કર્યું છે. કેન્દ્રિય મંત્રીએ સ્વચ્છ ભારત મિશન તથા ઇન્ફરમેશન અને ટેકનોલોજી વિભાગની પ્રગતિ પર પણ માહિતી આપી હતી.
