કેન્દ્રીય ગૃહમંત્રીએ અમરનાથ યાત્રાની સુરક્ષાની તૈયારીઓ અંગે સમીક્ષા કરી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પહેલી વખત બે દિવસિય જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર છે. પોતાના પ્રવાસ દરમિયાન અમિતશાહ શ્રી નગર પહોંચ્યા હતા. શ્રી નગર પહોંચ્યા બાદ અમિતશાહે અમરનાથ યાત્રા મામલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પહેલી વખત બે દિવસિય જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર છે. પોતાના પ્રવાસ દરમિયાન અમિતશાહ શ્રી નગર પહોંચ્યા હતા. શ્રી નગર પહોંચ્યા બાદ અમિતશાહે અમરનાથ યાત્રા મામલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે અનેક ઉચ્ચ્ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરનાથ યાત્રા પહેલી જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યાર બાદ તેમણે વિકાસ કાર્યોની પ્રગતિની પણ સમિક્ષા કરી હતી. દરમિયાન ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ગૃહ મંત્રી અમીત શાહની મુલાકાત અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રીએ અમરનાથ યાત્રાની સુરક્ષાની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી તેમજ રાજ્યમાં વિકાસ પરીયોજનાઓના અમલીકરણ અંગે પણ સમીક્ષા કરી હતી
