કેન્દ્રીય ગૃહમંત્રીએ મિઝોરમમાં 2,414 કરોડ રૂ. ના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મિઝોરમના પ્રવાસે છે. અમિત શાહે મિઝોરમમાં રૂપિયા 2, 415 કરોડના પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જોખાવ-સાંહમાં અસમ રાઈફલ્સ બટાલિયનના મુખ્યમથકનું ઉદ્ધાટન કર્યું અને સાથે સાથે લાલડેન્ગા કેન્દ્રના નિર્માણ સહિત અનેક પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો હતો.
અમિત શાહે સંબેધન કરતા કહ્યું કે મિઝોરમ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો કેન્દ્ર અને મિઝોરમ સરકાર રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે.
