કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદ જવાનના પરિવાર સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રવાસના બીજા દિવસે આજે તેમણે શહીદ જવાન અર્શદ ખાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ ગઇકાલે તેમણે અમરનાથ યાત્રા મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પહેલી વખત બે દિવસિય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. પોતાના પ્રવાસના બીજા દિવસે આજે તેમણે શહીદ જવાન અર્શદ ખાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ ગઇકાલે તેમણે અમરનાથ યાત્રા મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે અનેક ઉચ્ચ્ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરનાથ યાત્રા પહેલી જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યાર બાદ તેમણે વિકાસ કાર્યોની પ્રગતિની પણ સમિક્ષા કરી હતી.
