કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જેસલમેરમાં BSFના 57માં સ્થાપના દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે
Live TV
-
પ્રવાસના પ્રથમ દિવસે ગૃહમંત્રીએ રોહીતાસ બોર્ડર આઉટ પોસ્ટ પર BSFના જવાનો સાથે સમય વિતાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જેસલમેર પ્રવાસનો આ બીજો દિવસ છે. ગૃહમંત્રી આજે જેસલમેરમાં BSFના 57માં સ્થાપના દિવસે, મુખ્ય અતિથી તરીકે સામેલ થશે. સીમા સુરક્ષા દળનો સ્થાપના દિવસ પ્રથમ વાર રાજધાની દિલ્હી બહાર, સરહદી જિલ્લો જેસલમેરમાં ઉજવાઇ રહ્યો છે. પ્રવાસના પ્રથમ દિવસે ગૃહમંત્રીએ રોહીતાસ બોર્ડર આઉટ પોસ્ટ પર બી.એસ.એફ ના જવાનો સાથે સમય વિતાવ્યો હતો.
તેમણે એક કાર્યક્રમ અંતર્ગત જવાનોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું હતું. આ કાર્ડ સ્વેપ કરવાથી જવાન પોતાનો અને પોતાના પરિજનોની સારવાર કરાવી શકશે. તેમણે જવાનોને ભરોષો અપાવ્યો હતો કે સરકાર જવાનોને રાહત આપવા સતત કામ કરતી રહેશે.
ગૃહમંત્રીએ રોહીતાસ બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઇને ચોકીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સરહદથી સૂર્યાસ્તનો નજારો પણ જોયો. તેમણે પ્રસિદ્ધ તનોટ માતાના મંદિરે પહોંચીને માતાજીના દર્શન કરી પૂજા અર્ચન કર્યા હતા. આ પ્રવાસમાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ જોડાયા હતાં.