કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના બે દિવસના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ગઇકાલે તેમણે રૂ. 67 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં મેટ્રો રેલ ફેઝ-2, એલીવેટેડ અવનાશી એક્સપ્રેસ વે, ચેન્નાઇ ટ્રેડ સેન્ટર એક્સપાન્શન પ્રોજેક્ટ, ઇંડિયન ઓઇલ કોર્પોરેશનના ૩ પ્રોજેક્ટ તથા કાવેરી નદી પર બંધનો સમાવેશ થાય છે. તેમણે થેરવોય કંડિગયી બંધનુ પણ લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર તમિલનાડુ સરકારની સાથે છે અને તેના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યુ હતું કે., ભારતના વિકાસમાં તમિલનાડુના યોગદાનને ભુલી શકાય નહી.
