કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વૃંદાવનમાં સાધ્વી ઋતંભરાના વાત્સલ્ય ગ્રામની મુલાકાતે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વૃંદાવનમાં સાધ્વી ઋતંભરાના વાત્સલ્ય ગ્રામની મુલાકાતે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશના વૃંદાવનની મુલાકાત લેશે. ત્યાં તેઓ સાધ્વી ઋતંભરાના વાત્સલ્ય ગ્રામ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ ભાજપના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આયોજિત ત્રણ દિવસીય પરમ પૂજ્ય દીદી માં સાધ્વી ઋતંભરા જી ના 'ષષ્ઠિપૂર્તિ મહોત્સવ' કાર્યક્રમને સંબોધિત કરશે. ભાજપ એક્સ હેન્ડલના જણાવ્યા મુજબ તેઓ બપોરે 1 કલાકે વાત્સલ્ય ગ્રામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેશે.
