કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાજસ્થાનમાં ભાજપ આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રા-2નો શુભારંભ કરાવ્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજસ્થાનમાં ભાજપ દ્વારા આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રા-2નો શુભારંભ કરાવ્યો હતો. ડુંગરપુર ખાતે અમિત શાહે જણાવ્યું હતું કે આ ભૂમિના સપુતોએ મોગલોના દાંત ખાટા કરવાનું કામ કર્યું હતું.
આ પરિવર્તન સંકલ્પ યાત્રા રાજ્યમા 19 દિવસ ફરશે અને 52 વિધાનસભામાં ફરીને લોકસંપર્ક કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આડે હાથ લીધા હતાં. તેઓએ રાજસ્થાનની જનતાને UPA સરકારે શું આપ્યું તેનો હિસાબ માંગ્યો હતો.
