કેન્દ્રીય ચૂંટણી પંચે કોવિડના સંક્રમણને અટકાવવા માટેના નિયમોનું ગંભીરતાથી પાલન કરવા રાજકીય પક્ષોને જણાવ્યું
Live TV
-
કેન્દ્રીય ચૂંટણી પંચે કોવિડના સંક્રમણને અટકાવવા માટેના નિયમોનું ગંભીરતાથી પાલન કરવા રાજકીય પક્ષોને જણાવીને કહ્યું છે કે, આ નિયમોનો ભંગ કરનાર અગ્રણીઓની જાહેર સભા અને રેલીઓ ઉપર પ્રતિબંધ મુકતા તે ખચકાશે નહીં. કેટલાંક અગ્રણીઓ જાહેરમાં માસ્ક પહેરતા નથી અને રાજકીય નેતાઓના સ્ટેજ ઉપર બે વ્યક્તિઓ વચ્ચે યોગ્ય અંતર જળવાતું નથી તે બાબતને ચૂંટણી પંચે ગંભીર નોંધ લઈને બધા જ રાષ્ટ્રીય અને રાજ્યના પક્ષોને લખેલા પત્રમાં ચૂંટણી પંચે આવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરવાથી વ્યક્તિ પોતાને અને અન્ય લોકોના આરોગ્યને જોખમમાં મુકે છે. કોવિડને લગતી માર્ગદર્શિકાઓને દોહરાવીને ચૂંટણી પંચે આ માર્ગદર્શિકાનું ચુસ્ત રીતે પાલન કરવામાં રાજકીય પક્ષોનો સહકાર માગ્યો છે.
