કેન્દ્રીય શિપિંગ મંત્રી મ્યુકર માઈકોસીસની સારવારના સાધનો માટે સાંસદની ગ્રાન્ટમાંથી 75 લાખ રૂપિયા ફાળવ્યા
Live TV
-
કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ મ્યુકર માઈકોસીસની સારવારના સાધનો માટે તેમની સાંસદની ગ્રાન્ટમાંથી 75 લાખ રૂપિયા ફાળવ્યા છે. ભાવનગરની મુલાકાત વખતે માંડવીયાએ ભાવનગરની સર ટી. હોસ્પિટલના તબીબો સાથે મ્યુકર માઈકોસીસના સંક્રમણ તથા સારવાર અંગે વિસ્તૃત ચર્ચા બાદ આ જાહેરાત કરી હતી. ભાવનગરની બે દિવસની મુલાકાત દરમ્યાન તેમણે તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત સરતાનપર બંદર સહિત બીજા વિસ્તારોની મુલાકાત લઈને માહિતી મેળવી હતી તથા અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. માંડવીયાએ કોરોનાકાળમાં સેવાભાવી કાર્યો કરનાર તબીબો તથા સામાજીક સંસ્થાઓની કામગીરી બિરદાવી હતી.
