કેરળમાં નિપાહ વાયરસને લઇને ગભરાવવાની જરૂર નથી: કે.કે શૈલજા
Live TV
-
સરકારે કહ્યું છે કે, કેરળમાં નિપાહ વાયરસનો મામલો સામે આવવાથી લોકોને ગભરાવવાની જરૂર નથી. કારણ કે, સરકારે આ સ્થિતિને પહોંચી વળવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું છે કે, કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજા સાથે તેઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને રાજ્યની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
સરકારે કહ્યું છે કે, કેરળમાં નિપાહ વાયરસનો મામલો સામે આવવાથી લોકોને ગભરાવવાની જરૂર નથી. કારણ કે, સરકારે આ સ્થિતિને પહોંચી વળવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું છે કે, કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજા સાથે તેઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને રાજ્યની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, એક કેન્દ્રીય દળ કેરળના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સાર્વજનિક ઉપાયોની સમીક્ષા કરી રહી છે અને પ્રભાવિત જિલ્લાઓના જિલ્લા અધિકારીઓની સાથે ચર્ચા કરી રહી છે. અધિકારિક વિજ્ઞપ્તિ અનુસાર રાજ્યમાં એર્નાકુલમની સરકારી મેડિકલ કોલેજમાં નિપાહ પીડિત લોકો માટે એક અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે આ વાયરસથી પીડિત એક રોગીની સ્થિતિ સ્થિર છે અને 314 લોકો પર દરરોજ નજર રાખવામાં આવી રહી છે.
