કેરળમાં નીપાહ નામના વાઈરસે મચાવ્યો આતંક
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા તબિબોની એક ટીમને કેરળ જવા માટે રવાના કરાઈ જે વાયરસનો વધુ ફેલાવો ન થાય તે માટે લેશે તાત્કાલિક પગલા
કેરળના કોજી કોટ વિસ્તારમાં નીપાહ નામના વાઈરસે આતંક મચાવતા 10 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા તબિબોની એક ટીમને કેરળ જવા માટે રવાના કરાઈ છે. નીપાહ વાયરસ અત્યંત ચેપી હોવાના કારણે તેનો વધુ ફેલાવો ન થાય તે માટે તાત્કાલિક પગલા લેવા શરૂ કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ રાજ્ય આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરી હતી તથા તેમને તમામ સહાય કરવાની ખાતરી આપી છે. નીપાહ વાઈરસ જાનવરોમાંથી મનુષ્યમાં પ્રવેશતો એક વાયરસ છે. જેના લક્ષણો માથું દુઃખવું, ચક્કર આવવા પગમાં સોજા આવવા ઉલટીઓ થવી જેવા છે. યોગ્ય સારવાર ન થાય તો દર્દી 24થી 48 કલાકમાં કોમામાં સરી પડે છે તથા મૃત્યુ પણ થઈ શકે છે.
