કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન ફસાયેલા 336 યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડાયા
Live TV
-
નેપાળમાં કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે ફસાયેલા અંદાજે 336 યાત્રાળુઓને સિમિકોટથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
નેપાળમાં કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે ફસાયેલા અંદાજે 336 યાત્રાળુઓને સિમિકોટથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મંગળવારથી અત્યાર સુધીમાં અંદાજે 500 લોકોને અહીંથી બચાવાયા છે અને અંદાજે એક હજાર યાત્રિકો હજુ પણ ફસાયેલા છે. ભારતીય દૂતાવાસે કહ્યું હતુ કે સ્થિતિ નિયંત્રણમાં છે હવામાનમાં સુધારો થતાં બચાવ કામગીરીને વેગ મળ્યો છે. હાલ બચાવ કામગીરીમાં કોર્મશિર્યલ વિમાનોની સાથે નેપાળી સેનાના વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો છે.
