કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલાં 687 પેજ-એકાઉન્ટને ફેસબુકે હટાવ્યાં
Live TV
-
દેશમાં 30 કરોડથી વધુ ફેસબુકના યુઝર્સ છે, એવામાં લોકો કેટલાક નકલી એકાઉન્ટ વાપરી રહ્યા છે, અને ખોટી માહિતી ફેલાવવા અનેક ગ્રુપોનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાથી કંપનીએ આ નિર્ણય લઈ લીધો છે.
ફેસબુકે સોમવારે જણાવ્યું હતું કે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ 687 પેજ અને એકાઉન્ટને હટાવશે. ફેસબુકના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પેજો પરથી અપ્રામાણિક સૂચનાઓ જઈ રહી હતી. આ પેજ પરથી નકલી રીતોથી ઈન્ટરેક્શન પણ વધારવામાં આવી રહ્યું હતું.
