કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી
Live TV
-
ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીના તૈલચિત્રને , સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ આશ્રમમાં , મહાત્મા ગાંધી સાથે જોડાયેલી તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું.
કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્ય કારીણીની બેઠક અમદાવાદ સરદાર સ્મારક ખાતે યોજાઈ છે. આ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતાઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. નેતાઓનું આગમન થયું હતું. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, સહિતના કોંગ્રેસી નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને એરપોર્ટથી સીધા ખાસ બસ દ્વારા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીના તૈલચિત્રને , સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ આશ્રમમાં , મહાત્મા ગાંધી સાથે જોડાયેલી તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. અને સર્વ ધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. 58 વર્ષ પછી , ગુજરાતમાં યોજાયેલી આ બેઠકમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ ભાગ લેશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી , રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ , અમિત ચાવડા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ કોંગ્રેસના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીઓ હાજર રહેશે.
