#DandiMarch: જ્યારે ચપટી મીઠાએ બ્રિટિશ શાસનને હચમચાવી દીધું હતું
Live TV
-
દાંડીકૂચને આજે નેવ્યાસી વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેમના અનુયાયીઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમણે ન્યાય અને સમાનતાની શોધ માટે દાંડી માર્ચમાં ભાગ લીધો હતો.
આ અવસરે , પ્રધાનમંત્રી મોદીએ પૂ.બાપુના આદર્શ વિશે એક લેખ ટ્વીટ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ઐતિહાસિક દાંડીકૂચને આજે નેવ્યાસી વર્ષ પૂર્ણ થચા. અમદાવાદ સાબરમતી આશ્રમથી સુરત નજીક નવસારીના દાંડી સુધી ઐતિહાસિક દાંડીકૂચ યોજાઇ હતી.
12 માર્ચે 1930માં વહેલી સવારે ગાંધીજીએ તેમના 78 લડવૈયા સાથે સાબરમતી આશ્રમથી સવારે કૂચ શરૂ કરી હતી. દાંડીકૂચ દ્રારા મીઠાનો વેરો દેશના તમામ વર્ગના લોકોને એકસરખો રહે તે માટે મીઠાના કાયદાનો ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લોકજાગૃતિ લાવીને રાષ્ટ્રવાદની ભાવનાને કેળવવા માટે નમક સત્યાગ્રહ થયો હતો.
