કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ 31 જુલાઈ સુધી સ્થગિત
Live TV
-
નાગરિક ઉડ્ડયન મહા નિર્દેશાલય એટલે કે ડીજીસીએ એ આંતરરાષ્ટ્રીય ઉડાનો ઉપર લગાવાયેલા પ્રતિબંધને આગામી તા. 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. ડીજીસીએના સર્ક્યુલર અનુસાર ભારત આવતી અને જતી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ અને પેસેન્જર ઉડાનોની સેવા ઉપર લગાવાયેલા પ્રતિબંધને આગામી તા. 31 જુલાઈની મધ્ય રાત્રિ સુધી લંબાવવામાં આવ્યા છે. જો કે આ પ્રતિબંધ નાગરિક ઉડ્ડયન મહા નિર્દેશાલય દ્વારા મંજૂરી પ્રાપ્ત તમામ કાર્ગો ઓપરેશન - ઉડાનોને લાગુ નહીં પડે. આ સાથે અગાઉથી મંજૂરી મેળવેલી શેડ્યુઅલ વિમાની સેવાઓને કેસ ટુ કેસ મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે વંદે ભારત મિશન અને એર બબલ વિમાની સેવાઓને આ પ્રતિબંધની અસર નહીં પડે.
એક સલાહમાં ડીજીસીએએ કહ્યું હતું કે એરપોર્ટ ડિરેક્ટર અથવા ટર્મિનલ મેનેજરે ખાતરી કરવી જોઈએ કે બધા મુસાફરો માસ્ક પહેરે છે અને સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરે છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાલન ના કરનાર મુસાફરોને કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે ચેતવણી આપવામાં આવશે અથવા સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવશે.