પ્રધાનમંત્રી 1 જુલાઈ, 2021ના રોજ તબીબોને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભારતને કોવિડ-19 સામેની લડાઈમાં તબીબોનાં અથાગ પ્રયાસો માટે ગૌરવ છે". 1 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય તબીબ દિવસ તરીકે મનાવાય છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે તબીબ સમુદાયને @IMAIndiaOrg દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરશે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સમગ્ર દેશમાં 1 જુલાઈને રાષ્ટ્રીય તબીબી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પોતાના 1500થી વધુ કર્તવ્યનિષ્ઠ તબીબોને ખોયા છે. તબીબોએ આપેલા બલિદાન અને કામગીરીને બિરદાવવા માટે આ દિવસ મહત્વનો છે.