કોરોનાના ભયને લીધે દૂર સંચાર વિભાગે IT સેક્ટરના કર્મીઓને ઘરેથી કામ કરવાની આપી છૂટ
Live TV
-
આઈટી ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે એક સારા સમાચાર છે. કોરોના વાઈરસ સંક્રમણને જોતાં દૂરસંચાર વિભાગે આઈ.ટી. ઉદ્યોગના કર્મચારીઓ માટેના ઘેરથી કામ કરવાના નિયમોમાં 30 એપ્રિલ સુધી છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. ભારતના આઈ.ટી. ઉદ્યોગમાં 50થી 60 લાખ લોકો કાર્યરત છે. આઈટી કંપનીઓ આ નિયમો હેઠળ પોતાના કર્મચારીઓને હવે ઘેરથી કામ કરવાની છૂટછાટ આપી શકશે. કોરોના વાઈરસ સંક્રમણને રોકવા આ નિર્ણય લેવામાં આવે છે.
