કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે PM મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
Live TV
-
દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને તેને અટકાવવા ચાલી રહેલા રસીકરણ અભિયાન સહિતની વર્તમાન સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ, ડૉ.વિનો પૉલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા અને રસીકરણ અંગે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. દેશમાં 93 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. ત્યારે આ બેઠકમાં પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાન અંગે અધિકારીઓને જરુરી સૂચનો આપ્યા હતા.
