મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને વિકેન્ડ લૉકડાઉનનો નિર્ણય
Live TV
-
કોરોના ફરી બેકાબુ થઇ રહ્યો છે. અને બધા રાજ્યોમાં ફરી કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. અને મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બન્યો છે તેના પર કાબુ મેળવવા ફરી એક વાર વિકેન્ડ લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર શનિવાર અને રવિવારે બંધ રહેશે. સાથે જ સોમવાર થી શુક્રવાર સુધી દરરોજ રાતના 8 વાગ્યા થી સવારના 7 વાગ્યા સુધીનો કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓ યથાવત રાખવાની અનુમતિ આપવામાં આવી છે. રેસ્ટરટને માત્ર ટેક અવેની સેવાની જ મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે પણ કોરોનાને કાબુમાં લાવવા માટે એટલું પૂરતું નથી એટલા માટે વિકેન્ડ લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રાતના 8 વાગ્યા થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુનું પાલન કરવામાં આવશે.
