કોરોના વાઇરસના કારણે સરકાર વેપાર-ઉદ્યોગ જગતને આપી રાહત
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને નાણારાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી કોરોના વાયરસના પ્રકોપને કારણે વેપાર-ઉદ્યોગ જગતને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં રાહત આપવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને નાણારાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી કોરોના વાયરસના પ્રકોપને કારણે વેપાર-ઉદ્યોગ જગતને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં રાહત આપવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. આર્થિક પેકેજ વિચારણા હેઠળ છે અને તેની જાહેરાત પણ ટૂંકમાં થશે. કોરોના વાયરસને કારણે લોકડાઉન જેવી સ્થિતિમાં વેપાર-ઉદ્યોગ જગતને કાયદા અને નિયમોના પાલનમાં જે મુશ્કેલી પડી રહી છે તેને ધ્યાને રાખીને અનુપાલનની મુદતો લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018-19 આઇટી રીટર્ન ફાઇલ કરવાની મુદત વધારીને 30 જૂન કરવામાં આવી છે. આધાર-પેન નંબર લિંક કરવાની મુદત પણ વધારીને 30 જૂન કરવામાં આવી છે. તે મુજબ માર્ચ, એપ્રિલ, મે 2020ના જીએસટી રીટર્ન ફાઇલ કરવાની મુદત પણ વધારીને ,30 જૂન કરવામાં આવી છે.
