કોરોના વાયરસથી ભારતમાં મોતનો પ્રથમ બનાવ, 76 વર્ષના વૃદ્ધનું મોત, આરોગ્ય વિભાગની પુષ્ટિ
Live TV
-
કર્ણાટકના કલબુર્ગીમાં કોરોના વાયરસની ઝપેટમાં આવેલ 76 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિનું મોત નિપજ્યું
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી પ્રથમ મોતનો મામલો સામે આવ્યો છે. કર્ણાટકના કુલબુર્ગીમાં 76 વર્ષીય વ્યક્તિનું કોરોના સંક્રમણથી મોત થયું છે. મૃતક વ્યક્તિ જાન્યુઆરીમાં સાઉદી અરબ ગયો હતો અને 29 ફેબ્રુઆરીએ ત્યાંથી પરત ફર્યો હતો. પાછા ફર્યા પછી તાવની ફરિયાદ હતી.પરિવાર અને ડોક્ટરમી સલાહ પર 9 માર્ચે સારવાર માટે હૈદરાબાદ ગયા હતા. આ પછી વ્યક્તિનું મોત થયું છે. 76 વર્ષીય દર્દીને કોરોનાથી સંક્રમિત હોવાની શંકા હતા. તપાસ પછી કોરોનાના સંક્રમણની પૃષ્ટિ થઈ હતી.બીજી તરફ વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસથી ડરશો નહીં. સાથે જ પીએમ મોદીએ વાયરસને ફેલાતો રોકવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.તેમણે જાહેરાત કરી છે કે હાલ કોઈ પણ મંત્રી વિદેશ પ્રવાસે નહીં જાય. સાથે જ લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે, તેમજ ભીડવાળી જગ્યાઓ પર ન જવાની પણ સલાહ આપી છે.
