પેન્સનર્સને મોંઘવારી ભથ્થામાં અપાયો 4 ટકાના વધારો
Live TV
-
કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી, આ ઉપરાંત યસ બેન્કના પુનર્ગઠનને પણ બેઠકમાં અપાઈ મંજૂરી, બપોરે કેબિનેટના નિર્ણય અંગે યોજાશે પત્રકાર પરિષદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે કર્મચારીઓને પેન્શન ધારકોને મોંઘવારી ભથ્થુ વધારવાની મંજુરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની મંજુરી આપી છે. આ ઉપરાંત કેબિનેટમાં યસ બેન્ક માટે રી-સ્ટ્રક્ચર પ્લાનની મંજુરી આપવામાં આવી છે. તથા બેઠકમાં કોરોના વાયરસને નિયંત્રણમાં લેવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ બપોરે ત્રણ કલાકે પત્રકાર પરિષદાં સમગ્ર માહિતી આપવામાં આવશે.
