કોરોના વાયરસ મામલે પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સથી તમામ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી
Live TV
-
સરકાર દ્વારા કોરોના સંકટને પહોંચી વળવાનાં કાર્યોની માહિતી આપી અને નેતાઓ પાસે મંતવ્યો માંગ્યા
દેશમાં કોરોના સંકટ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ બુધવારે વિડિયો કોન્ફ્રન્સિગ દ્વારા તમામ પક્ષોનાં અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરી હતી..વડાપ્રધાન મોદીની આ સર્વપક્ષીય બેઠકમાં લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓએ ભાગ લીધો, વડાપ્રધાનની આ બેઠકમાં સરકાર દ્વારા કોરોના સંકટને પહોંચી વળવાનાં કાર્યોની માહિતી આપી અને નેતાઓ પાસે મંતવ્યો માંગ્યા.કોંગ્રેસનાં ગુલામ નબી આઝાદ, ટીએમસીનાં સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાનાં સંજય રાઉત, બીજેડીના પીનાકી મિશ્રા, એનસીપીના શરદ પવાર, સપામાંથી રામગોપાલ યાદવ, શિરોમણિ અકાલી દળના સુખીબીરસિંહ બાદલ, બસપાનાં સતીશચંદ્ર મિશ્રા, વાયએસઆર કોંગ્રેસમાંથી વિજય સાંઇ રેડ્ડી અને મિથુન રેડ્ડી, જેડીયુના રાજીવ
રંજન સિંઘ સહિતના નેતાઓએ તેમાં ભાગ લીધો.
