કોર્ટને ગુમરાહ કરી રહ્યો છે મેહુલ ચોકસીઃ ED
Live TV
-
મેહુલ ચોકસી દ્રારા એન્ટીગ્વામાં પુછપરછના વિરોધને ફગાવતા EDએ મુંબઇની કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું
ભાગેડુ કારોબારી મેહુલ ચોકસીની એફીડેવીટના જવાબમાં મુંબઇની એક અદાલતમાં ઇડીએ જવાબ દાખલ કર્યો છે. ઇડીએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે મેહુલ ચોકસી દ્વારા અપાઇ રહેલા સારવારના કારણો આપી ગુમરાહ કરવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. ઇડીએ કહ્યું કે મેહુલ ચોકસીને તપાસમાં સામેલ થવાની અનેક તક આપવામાં આવી છતાં તે સામેલ થયો નથી. ઇડી પ્રમાણે ચોકસીએ દાવો કર્યો છે કે તેની 6 હજાર એકસો 29 કરોડની સંપતિ જપ્ત થઇ છે. જ્યારે તપાસ દરમિયાન ઇડીએ માત્ર 2100 કરોડની સંપતિ જપ્ત કરી છે. ઇડીએ મુંબઇ અદાલતને જણાવ્યું કે મેહુલ ચોકસીને ભારત લાવવા માટે એયર એમ્બ્યુલન્સ આપવા તૈયાર છે અને ભારતમાં તેમને તમામ ઇલાજ સુવિધા પુરી પડાશે
