કોવિડ ઇન્ડિયા સેવાનો કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને કરાવ્યો શુભારંભ
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધન મંત્રીએ કોવિડ ઇન્ડિયા સેવાનો શુભારંભ કરાવ્યો હતો. જે આ મહામારીને પહોંચી વળવા માટે કરોડો ભારતીય સાથે સંવાદ કરવા માટું પ્લેટફોર્મ છે.
'કોવિડ ભારત સેવા' નો ઉદ્દેશ વાસ્તવિક સમયમાં પારદર્શક ઇ-ગવર્નન્સ ડિલિવરીને સક્ષમ બનાવવાનો છે અને નાગરિકોના અસંખ્ય પ્રશ્નોનો ઝડપી ગતિએ પ્રતિક્રિયા આપવાનો છે, ખાસ કરીને કોવિડ -19 રોગચાળા જેવી હાલની કટોકટીની પરિસ્થિતિઓમાં આના દ્વારા લોકો CovidIndiaSeva પર સવાલ કરી શકે છે અને તેમને જવાબ વાસ્તવિક સમયગાળામાં મળશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને એક ટ્વીટ સાથે કોવિડ ઇન્ડિયાસેવાના વિશેષ એકાઉન્ટની જાહેરાત કરી હતી.
