કોવિડ -19 નો સામનો કરવાના પ્રયત્નોમાં મદદ માટે પીએમ કેયર્સ ફંડને દેશભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે
Live TV
-
કોવિડ -19 નો સામનો કરવાના પ્રયત્નોમાં સહાય માટે બનાવવામાં આવેલ પીએમ કેયર્સ ફંડને દેશભરમાંથી જંગી ભંડોળ મળી રહ્યું છે. ઘણા સંગઠનો અને જાણીતા કલાકારોનું અનુસરણ કરતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા - એએઆઈના કર્મચારીઓએ પ્રારંભિક યોગદાનના રૂપે 20 કરોડ રૂપિયા ભેગા કર્યા છે, જેનો ઉપયોગ પીએમ કેયર્સ ફંડના માધ્યમથી કોવિદ 19થી ઉત્પન્ન સમસ્યાનો સામનો કરવા માટે થશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને તેના તમામ કર્મચારીઓ વતી 21 લાખ રૂપિયાનું યોગદાન આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓએ સ્વેચ્છાએ પગારમાંથી ફાળો આપવાનો નિર્ણય કર્યો છે. સમૂહ - ક ના કર્મચારીઓ બે દિવસનો પગાર અને અન્ય કર્મચારીઓને એક દિવસનો પગાર પીએમ કેયર્સ ફંડમાં આપશે.
