ખાનગી હોસ્પિટલના તબીબોને પણ કોરોનાની તપાસ કરવાની સરકારે આપી મંજૂરી
Live TV
-
કેન્દ્ર સરકારે નિર્ણય કરતાં હવે ખાનગી હોસ્પિટલના તબીબોને પણ કોરોના સંક્રમણનો રિપોર્ટ કરવાની મંજુરી મળી છે. બીજી તરફ દેશમાં , કોવિડ-19થી સાજા થવાનો દર વધીને 60 ટકાથી ઉપર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 19 હજારથી વધુ કેસ નોંધાયા
છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 19 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 19 હજાર 999થી વધુ લોકો સંક્રમણ મુક્ત થયાં છે. જ્યારે વધુ 378 લોકોનાં મોત થતાં, દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 18 હજાર 225 થઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં 3.50 લાખથી વધુ દર્દીઓ થયાં સાજા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 79 હજાર 902 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. હાલ 2 લાખ 28 હજાર 975 સક્રીય સંક્રમિત કેસ છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 6 હજાર 328 કેસ નોઁધાયા છે જેમાંથી 125 લોકોનાં મોત થયાં છે. તામિલનાડુમાં 4 હજાર 343 કેસ નોંધાયા છે. દિલ્હીમાં 2 હજાર 373 કેસ નોંધાયા છે. જ્યારે તેલંગાણામાં 1 હજાર 213 કેસ નોંધાયા છે.
