પ્રથમ સ્વદેશી કોરાના વેક્સિન 'કોવોક્સિન' 15 ઓગસ્ટે થઇ શકે છે લૉન્ચ
Live TV
-
ઝાયડસ કંપનીને પણ કોવિડ વેક્સીન માટે માનવ પરિક્ષણની મળી મંજૂરી
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં લેતા RTPCR ટેસ્ટ બાદ હવે અમદાવાદમાં પણ એંટીજન ટેસ્ટ શરૂ થઈ ચૂક્યા છે. RTPCR ટેસ્ટનું રિઝલ્ટ આવવામાં 8 કલાકનો સમય લાગે છે તો એંટીજન ટેસ્ટમાં કોરોનાનું રિઝલ્ટ માત્ર 30 મીનીટમાં મળી જાય છે.
ઓછા સમયમાં વધુ લોકોના કોરોના ટેસ્ટ કરી શકાશે
જેનાથી દર્દીને વહેલી તકે આઈસોલેટ કરી તેની સારવાર શરૂ કરી શકાય છે. આ એંટીજન ટેસ્ટ દ્વારા ઓછા સમયમાં વધુ લોકોના કોરોના ટેસ્ટ કરી શકાય છે. RTPCR ટેસ્ટમાં , કોરોના વાયરસના જીનોમને ડિટેક્ટ કરવામાં આવે છે, તો એંટીજન ટેસ્ટ કીટ દ્વારા વાયરસના પ્રોટીનને ડિટેક્ટ કરવામાં આવે છે.
ટેસ્ટની સેન્સીટીવીટી 80 ટકા બતાવવામાં આવી
આ ટેસ્ટની સેન્સીટીવીટી 80 ટકા બતાવવામાં આવી છે. ICMR તરફથી આ ટેસ્ટ કરાવવાની કિંમત 450 રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે RTPCR ટેસ્ટ કરાવવાની કિંમત , હાલ ગુજરાતમાં 2500 રૂપિયા છે
