ખેડુત સંગઠનો અને ખેડુત ઉત્પાદન સંગઠનોના પ્રતિનિધિઓએ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે કરી મુલાકાત
Live TV
-
ખેડૂતોએ નવા કૃષિ કાયદાને આપ્યું સમર્થન.આ કાયદા દ્વારા ખેડુત વચેટીયાઓથી થશે મુક્ત.તો સરકારે કહ્યું,ખેડુતોના હિત રહેશે સુરક્ષિત.
દેશભરમાં ખેડૂત આંદોલન વેગ પકડી રહ્યું છે. ત્યારે કૃષિ ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તૌમર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કૃષિમંત્રીને આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે નવા કૃષિ કાયદાઓને અનુલક્ષીને કેટલાક સૂચનો આપ્યા છે. તેમણે આ નવા કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં હોવાનું અને તેને લીધે ખેડૂતોને રાહત મળશે તેમ કૃષિમંત્રીને જણાવ્યું હતું. આ કાયદાઓને કારણે ખેડૂતોને વચેટિયાઓથી મુક્તિ મળશે સાથે ખેડૂતોની કેટલીક માંગોને પણ ધ્યાનમાં લેવાની રજૂઆત ખેડૂત સંગઠનોએ કરી હતી.
