ખેડૂતોના હિતમાં સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય
Live TV
-
સરકાર દ્વારા ડુંગળીની નિકાસ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વનો નિર્ણય લીધો છે જેનાં કારણે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ સ્થિર રહે
સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ડુંગળીની નિકાસ કરતાં ખેડૂતોનાં હિતમાં સરકારે ડુંગળીની નિકાસના ઇન્સેન્ટીવને બમણું કરી દીધું છે. આ ઇન્સેન્ટીવ 5 ટકાથી વધારીને 10 ટકા કરી દેવામાં આવ્યું છે. એમએસઈએસ સ્કીમ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળશે. હાલ માર્કેટમાં ડુંગળીની આવક વધી હોવાથી મંડીમાં તેની કિંમતોમાં ઘટાડો થયો હોવાનું જોવા મળે છે. જેથી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વનો નિર્ણય લીધો છે જેનાં કારણે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ સ્થિર રહે. મહત્વનું છે કે સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોને પોતાના પાકની સારી કિંમતો મળશે.
