ખેડૂતોની આવક વધારવા અને જમીન સુધારવા કેન્દ્રનું મોટું પગલું: આજથી દેશભરમાં શરૂ થયું 'ખેત બચાવ અભિયાન'
Live TV
-
ખેડૂતોની આવક વધારવા અને જમીન સુધારવા કેન્દ્રનું મોટું પગલું: આજથી દેશભરમાં શરૂ થયું 'ખેત બચાવ અભિયાન'
દેશના અન્નદાતાઓ આર્થિક રીતે વધુ સક્ષમ બને, ખેતીનો ખર્ચ ઘટે અને કૃષિ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી રાષ્ટ્રીય અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આજથી એટલે કે 1 જૂનથી 30 જૂન સુધી સમગ્ર દેશમાં 'ખેત બચાવ અભિયાન' ચલાવવામાં આવશે. આ અભિયાન માત્ર એક સરકારી જાગૃતિ કાર્યક્રમ મર્યાદિત નહીં રહે, પરંતુ જમીનની ગુણવત્તા સુધારવા અને ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ તરફ વાળવા માટે એક દેશવ્યાપી 'જન આંદોલન' બનશે.
રાસાયણિક ખાતરોનો અસંતુલિત વપરાશ ઘટશે: કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ રાષ્ટ્રીય ઝુંબેશ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીમાં થઈ રહેલા રાસાયણિક ખાતરોના અસંતુલિત અને ગમે તેમ વપરાશને અટકાવવાનો છે. કેમિકલ મુક્ત ખેતી અને સંતુલિત ખાતર વ્યવસ્થાપન દ્વારા માટી (જમીન)ના સ્વાસ્થ્યને બચાવવું એ આ સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
આવકમાં વધારો અને ખર્ચમાં ઘટાડો: વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ખેતીનો બિનજરૂરી ખર્ચ ઘટાડી ખેડૂતોની ચોખ્ખી આવક વધારવી.
માટીની ગુણવત્તામાં સુધારો: જમીનની ફળદ્રુપતા અને પોષક તત્ત્વો જાળવી રાખવા માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડવું.
યોગ્ય સમયે યોગ્ય સલાહ: પાકની વાવણીથી લઈને લણણી સુધી ખેડૂતોને કટોકટીના સમયે વૈજ્ઞાનિકો દ્વારા સચોટ સલાહ અને માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી.
કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઝુંબેશની સફળતા માટે એક ખાસ મોડેલ તૈયાર કરાયું છે. આ અભિયાન તળતળિયાના સ્તર એટલે કે પંચાયતથી શરૂ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધીની સાજી ભાગીદારી (કોર્પોરેટિવ મોડેલ) પર ચાલશે, જેથી દેશના છેવાડાના ખેડૂત સુધી આનો લાભ પહોંચાડી શકાય.
જૂન મહિનાના આ આખા ગાળા દરમિયાન દેશભરની કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ગ્રામ પંચાયતો અને સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા ખેડૂતોને આ જન આંદોલનમાં જોડવા માટે વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
