ખેડૂત આંદોલનના ઔપચારિક સમાપન બાદ આજથી ખેડૂતોની ઘર વાપસી
Live TV
-
આશરે એક વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનની સમાપ્તીની જાહેરાત કર્યાં બાદ આજ તારીખ 11 મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી જોડાયેલી સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર સહિતની તમામ જગ્યાઓ પરથી ધારણા કરી રહેલા ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજથી પ્રદર્શન સ્થળ ખાલી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આગામી 15 જાન્યુઆરીના રોજ સંયુક્ત કિસાન મોરચાની એક સમીક્ષા બેઠક પણ યોજાશે. આ ખેડૂતો અંદાજે એક વર્ષથી દિલ્હી બોર્ડર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદ ખેડૂતોને રાહત આપતા ગત 19 મી નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી. જેના પગલે આ ધારણાનો અંત આવ્યો છે અને ખેડૂતોએ ઘર વાપસી કરી છે.
