ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ખોટી માહિતી ફેલાવવા બદલ સરકારની ટ્વિટને નોટિસ
Live TV
-
ખેડૂતોના નર સંહારવાળા ભ્રામક ટ્વિટર હેશ ટેગ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મંત્રાલયે આ મુદ્દે ટ્વિટરને એક નોટિસ પણ પાઠવી છે.
ખેડૂતોના નર સંહારવાળા ભ્રામક ટ્વિટર હેશ ટેગ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મંત્રાલયે આ મુદ્દે ટ્વિટરને એક નોટિસ પણ પાઠવી છે. અને જો ટ્વિટરે સરકારની વાત ન માની તો કાર્યવાહી કરવાની પણ વાત સરકારે કહી છે. જોકે, ટ્વિટર પર ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે આ હેશટેગ ચલાવવામાં આવતું હતું. અને અનેક લોકોએ આ અંગે ટ્વિટ કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને સરકારે ટ્વિટરને નોટિસ આપી છે.