ગુરૂ નાનક દેવ જીની 550મી જયંતીને વિશ્વભરમાં ઉજવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય
Live TV
-
કેન્દ્ર સરકારે ગુરૂ નાનક દેવની 550માં જયંતિ સમારોહને મોટા પાયે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ સમારોહ દેશ સિવાય વિદેશોમાં પણ ઉજવવામાં આવશે અને આખુ વર્ષ ચાલશે.
ગુરૂ નાનક દેવ જીનું દેશના તમામ ભાગમાં ખૂબ સન્માન છે. આ સમારોહથી ગુરૂ નાનકનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.
કેબિનેટ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્યમ પ્રમાણે સરકારે ગુરૂદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કરતાપુર કોરિડોરના નિર્માણ અને વિકાસને મંજૂરી આપી દીધી છે.
કરતાપુરને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. કરતારપુર ગલિયારાના નિર્માણથી વર્ષ દરમિયાન તીર્થયાત્રિકોને ગુરૂદ્વારા દરબાર સાબિબ જવામાં મદદ મળશે.
કેન્દ્રીય મંત્રિમંડળે તે પણ નિર્ણય કર્યો કે, ગુરૂ નાનક દેવ જીના જીવન સાથે જોડાયેલા સુલ્તાનપુર લોઢીના ઐતિહાસિક શહેર એક વિરાસત શહેર અને સ્માર્ટ સિટી સિદ્ધાંતોના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જેથી ગુરૂ નાનક દેવજી ના સ્થાપત્ય પર ભાર આપી શકાય.
