ગૃહમંત્રી અમિત શાહે PM મોદીના જીવન આધારિત 'કર્મયોદ્ધા ગ્રંથ' નું કર્યું લોકાર્પણ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી મોદીના જીવન સાથે જોડાયેલ પુસ્તક 'કર્મયોદ્ધા ગ્રંથ' નું લોકાર્પણ કર્યું હતું. તેમણે પુસ્તકના વિમોચન વખતે કહ્યું કે, લોકતંત્રની અંદર શાસનની સફળતાનું સૌથી મોટું સર્ટિફિકેટ અને જનતાનો આશિર્વાદ છે આ પુસ્તક.
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં કાર્યક્રમમાં હિંદી વિવેક માસિક પત્રિકા દ્વારા લખાયેલ પુસ્તક કર્મયોદ્ધાનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં પ્રધાનમંત્રી મોદીના જીવનને સામેલ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ દેશમાંથી જાતિવાદ, તૃષ્ટિકરણ અને પરિવારવાદની રાજનીતિનો ખાત્મો કર્યો છે.
