ગૃહમંત્રી અમિત શાહ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે
Live TV
-
વિવિધ વિકાસલક્ષી કાર્યોનો પ્રારંભ કરાવશે
ગૃહમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ,પ્રથમ વખત ,સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યાં છે. આજે ગૃહમંત્રી ,દાદરા નગર હવેલીની મુલાકાત લેશે. તેઓ ,અહીં સેલવાસ ખાતે આવેલ એસ. એસ. આર. કોલેજ સંકૂલ આયોજિત ,એક કાર્યક્રમમાં હાજરી આપશે ,અને અહીં જનરેલીને સંબોધશે. તો સાથે જ ,તેઓ પ્રધાનમંત્રી દ્વારા ,ભેટ આપવામાં આવેલ ,નમો મેડિકલ કોલેજનાં ,પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનોને , પ્રવેશ કરાવશે. આ સાથે ,ગૃહમંત્રી અહીં અક્ષયપાત્ર, મધ્યાહન ભોજન ,જેવી સેવાઓનો ,શુભારંભ કરાવશે. તો પાટનગર સેલવાસના એજ્યુકેશન હબનો ,શિલાન્યાસ, પેરા મેડિકલ યુથ હોસ્ટેલનું ઉદઘાટન, આરોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્રનું લોકાર્પણ, અને શ્રમયોગી પ્રસાદ યોજનાનું , પણ લોકાર્પણ કરશે
