ગૃહમંત્રી રાજનાથસિંહ આજે સર્વદળિય બેઠકનું આયોજન કરશે
Live TV
-
ગૃહમંત્રી રાજનાથસિંહે કાશ્મીરની મુલાકાત લઈ ,સુરક્ષા અંગેની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. દિલ્હીમાં સુરક્ષા બાબતોની કેબિનેટની એક બેઠકમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે, વિવિધ રણનીતિ બનાવવા અંગેની ચર્ચા પણ થઈ હતી.
પુલવામાં આતંકી હુમલા બાદ સરકાર તથા એન્જસીઓએ સુરક્ષા બાબતે વધુ સતર્કતા દર્શાવી છે. ગૃહમંત્રી રાજનાથસિંહ આજે સર્વદળિય બેઠકનું આયોજન કરશે. જેમાં પુલવામા આતંકવાદી હુમલા બાદ સરકારે તાબડતોબ કયા પગલાં લીધા તે અંગે જાણકારી આપશે. ગૃહમંત્રી રાજનાથસિંહે કાશ્મીરની મુલાકાત લઈ ,સુરક્ષા અંગેની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. દિલ્હીમાં સુરક્ષા બાબતોની કેબિનેટની એક બેઠકમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે, વિવિધ રણનીતિ બનાવવા અંગેની ચર્ચા પણ થઈ હતી. બેઠકમાં રાજનાથસિંહે મીડિયાને સંબોધન કર્યું હતું.
