ગૃહ મંત્રાલયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નાગરિકતાના સંબંધમાં પાઠવી નોટીસ
Live TV
-
રાજ્યસભા સાંસદ અને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાની સ્થિતિના સંબંધમાં નોટીસ પાઠવી છે
ગૃહ મંત્રાલયે રાજ્યસભા સાંસદ અને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાની સ્થિતિના સંબંધમાં નોટીસ પાઠવી છે. ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને આ સંબંધમાં તથ્યાત્મક સૂચના આપવા જણાવ્યું છે. તેમણે નોટીસનો જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 2003 માં બ્રિટનમાં બે-કોપ્સ લિ. નામની કંપની નોંધાયેલ છે અને રાહુલ ગાંધી આ કંપનીમાં ડાયરેક્ટર અને સચિવ પદે છે. તેમણે કહ્યું કે કંપનીની વાર્ષિક આવક-જાવકનું વિવરણ 2005 અને 2006 માં દાખલ કરવામાં આવ્યું હતું જેમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક ઘોષિત કરવામાં આવ્યા હતા. તો આ મામલે ભાજપ અને કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
