ગૃહ મંત્રાલય : દેશમાં 37 હજારથી વધુ રાહત શિબિરો દ્વારા એક કરોડથી વધુ લોકોને ભોજન થયું ઉપલબ્ધ
Live TV
-
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે દેશમાં કુલ 26 હજાર 225 ફૂડ કેમ્પ સ્થાપવામાં આવ્યા છે જેમાં એક કરોડથી વધુ લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ, પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે લોકડાઉન દેશભરમાં અમલમાં છે અને શહેરી સ્થાનિક સંસ્થાઓ અત્યંત ચેપવાળા વિસ્તારોમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે નક્કર પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે 37 હજાર 978 રાહત શિબિરો અને મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં 14 લાખ 30 હજાર પરપ્રાંતિય મજૂરો અને અન્ય જરૂરીયાતમંદોને રાહત આપવામાં આવી રહી છે. તેમાંથી રાજ્ય સરકારો દ્વારા 34 હજારથી વધુ રાહત શિબિરો લગાવવામાં આવી છે જ્યારે ત્રણ હજાર 900 કેમ્પ એનજીઓનાં છે. સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે દેશમાં કુલ 26 હજાર 225 ફૂડ કેમ્પ સ્થાપવામાં આવ્યા છે જેમાં એક કરોડથી વધુ લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સરહદ સુરક્ષા અધિકારીઓ સાથેની બેઠકમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદોની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
