ગોવર્ધન યોજનાથી સમગ્ર દેશનું ઉર્જાતંત્ર આત્મનિર્ભર બનશે - ધર્મેન્દ્ર પ્રધાન
Live TV
-
કેન્દ્ર સરકારે શરૂ કરેલી ગોવર્ધન યોજનાથી સમગ્ર દેશનું ઉર્જાતંત્ર આત્મનિર્ભર બનવાની સાથે સાથે ઉર્જા ક્ષેત્રની આયાતમાં ઘટાડો નોંધાશે. કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે દિલ્હીમાં ગોવર્ધન યોજના માટે સંકલિત વેબ પોર્ટલનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, આ પોર્ટલ સરકારે ઉર્જા ક્ષેત્રે લીધેલા વિવિધ પગલાઓ પર દેખરેખ રાખશે. તેમણે કહ્યું કે, ગોવર્ધન યોજના દેશને બાયોગેસ, ઈથેનોલ અને જૈવ ઈંધણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે ખેડૂતોની આવકમાં આશરે એક લાખ કરોડ રૂપિયા સુધી વધારો કરશે.
