Skip to main content
Settings Settings for Dark

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન

Live TV

X
  • દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

    ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન થયો.  તેમના અંતિમ સંસ્કાર પણજીની નજીક મીરામાર બીચ પર પૂરા રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા. આ અવસર પર ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને અન્ય ગણમાન્ય લોકો ઉપસ્થિત હતા. 63 વર્ષીય પાર્રિકરે કાલે પણજીની નજીક પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તે એક વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. આ પહેલા પાર્રિકરની અંતિમ યાત્રા કલા અકાદમી કોમ્પલેક્સથી શરૂ થઈ મીરામાર બીચ પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાર્રિકરનો પાર્થિવ દેહ દર્શનાર્થે પણજીની કલા અકાદમી અને ભાજપા મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, સુરેશ પ્રભુ, નિર્મલા સીતારમન, સ્મૃતિ ઈરાની તથા શ્રીપદ નાયક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય કેટલાએ મહત્વપૂર્ણ વ્યક્તિઓએ દિવંગત નેતાને શ્રદ્ધાંજલી આપી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply