ગ્રેટર નોઇડાને મળી વિકાસની નવી ગતિ
Live TV
-
ગ્રેટર નોઈડામાં વિકાસને પ્રધાનમંત્રીએ આપી નવી ગતિ, કહ્યું જૂના અને થાકેલા લોકો સાથે નહીં ચાલી શકે દેશ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીની સાથે સાથે નોઇડા સિટી સેન્ટરથી ઈલેક્ટ્રોનિક સિટી મેટ્રોનું કર્યું ઉદ્ધાટન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં વિકાસની યોજનાઓને નવી ગતિ આપી હતી. તેમણે અહીં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનમાં તેની પ્રતિમા સંબંધિત તકતીનું અનાવરણ કર્યું હતું. આ સંસ્થા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ છે.
પ્રધાનમંત્રીએ અહીં દિલ્હી મેટ્રોના નોઈડા સિટી સેન્ટરથી નોઇડા ઇલેક્ટ્રોનિક સિટી ખંડનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ નવા ખંડથી નવા લોકોને આવવા જવામાં સરળતા રહેશે. તેનાથી રોડ પર ટ્રાફિકનો ભાર ઓછો થવાની સાથે આ પર્યાવરણને પણ અનૂકુળ છે. સાડા છ કિલોમીટરથી વધુ લાંબા આ ખંડ દિલ્હી મેટ્રોની બ્લૂ લાઇન સેવાનો વિસ્તાર છે.
